Safeer News

Breaking News from Ahmedabad

દેશ

અયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની ૨૦૦૦ ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે

વિશ્વમાં અને ભારતમાં મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલને લઈને થયેલા છે વિવાદ

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે.

આ મંદિરમાં ૨૦૦૦ ફીટ નીચે ખાસ ટાઈમ કેપ્સ્યુલ પણ રાખવામાં આવી છે. જેમા રામ મંદિરના ઈતિહાસ, રામ જન્મભૂમિ સાથે જાેડાયેલી તમામ જાણકારીઓ હશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે ૨૦૨૦માં એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, “કાલ પત્ર નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવવામાં આવશે” રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના જણાવ્યા મુજબ મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં જાે કોઈ વિવાદ થાય તો તેનાથી બચી શકાય છે.

રામ મંદિર અને અયોધ્યાના ઈતિહાસ સાથે જાેડાયેલી જાણકારી મેળવવી હોય તો તેને આ કેપ્સ્યુલમાં રાખવામાં આવેલા દસ્તાવેજ દ્વારા મેળવી શકાશે. કામેશ્વર ચૌપલે એ પણ જણાવ્યું હતું કે, ‘કાલ પાત્ર’ નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવવામાં આવશે, જેમાં રામ જન્મભૂમિ ચળવળનો ઈતિહાસ હશે. ભવિષ્યની પેઢી ભગવાન રામના જન્મસ્થળના અસ્તિત્વના વિવાદમાં ન ફસાય તે માટે આવું કરવામાં આવશે.

ટાઈમ કેપ્સ્યુલને સ્થળની નીચે મૂકતા પહેલા તેની અંદર તામ્રપત્રમાં મંદિર સંબંધિત તમામ જાણકારી મુકવામાં આવશે. કામેશ્વર ચૌપલે વધુમાં કહ્યું હતુ કે,“સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલેલા કેસ સહિત રામ જન્મભૂમિ માટેના સંઘર્ષે વર્તમાન અને આવનારી પેઢીઓ માટે એક પાઠ આપ્યો છે. એક ટાઈમ કેપ્સ્યુલ લગભગ ૨,૦૦૦ ફૂટ નીચે મૂકવામાં આવશે. જેથી ભવિષ્યમાં જે કોઈ મંદિરના ઈતિહાસ વિશે અભ્યાસ કરવા ઈચ્છે છે, તેને રામજન્મભૂમિ સાથે સંબંધિત તથ્યો મળશે, જેથી કોઈ નવો વિવાદ ન સર્જાય.” જે ટાઈમ કેપ્સ્યુલને દફનાવવામાં આવશે તેમાં અયોધ્યાનો સંપૂર્ણ ઈતિહાસ અને તાંબાની પ્લેટો પર સંસ્કૃતમાં લખેલા ભગવાન રામના જીવનની વિગતો સામેલ હશે.

ટાઈમ કેપ્સ્યુલ કોઈપણ આકાર અને શેપનું ધાતુનું એક કંટેનર હોય છે. તે એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ અથવા તાંબા જેવી ધાતુમાંથી બનેલુ હોય છે. જાે કે, એલ્યુમિનિયમ કે, સ્ટેનલેસ સ્ટીલમાં કાટ લાગવાની શક્યતાને કારણે મોટાભાગની કેપ્સ્યુલ તાંબાની હોય છે. ટાઈમ કેપ્સ્યુલની અંદર જે દસ્તાવેજાેને રાખવામાં આવે છે. તે ખાસ એસિડમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, જેથી કરીને તે હજારો વર્ષો સુધી સડે નહીં. ટાઈમ કેપ્સ્યુલ કોઈ ખાસ જગ્યા, વસ્તુ અથવા સમયની જાણકારી આપવા માટે રાખવામાં આવે છે. કેપ્સ્યુલમાં એ સ્થળ અને વસ્તુ સાથે જાેડાયેલા તમામ દસ્તાવેજ, કલાકૃતિઓ અને સૂચનાઓ રાખીને માટીના અંદર દફન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ કેપ્સ્યુલ દ્વારા સંબંધિત વસ્તુ અથવા જગ્યા વિશે પુરી જાણકારી મળી શકે છે. મોટાભાગે ટાઈમ કેપ્સ્યુલ કોઈ ઈમારતના પાયામાં રાખવામાં આવે છે.

ટાઈમ કેપ્સ્યુલ બે રીતે રાખવામાં આવે છે. એક અનિશ્ચિતકાળ માટે અને બીજી ચોક્કસ સમય માટે. દાખલા તરીકે જ્યોર્જિયામાં એક ટાઈમ કેપ્સ્યુલ વર્ષ ૧૯૪૦માં જમીનમાં દાટવામાં આવી હતી. જેમા નક્કી કરાયુ હતુ કે, જાે માનવ સભ્યતા રહેશે તો તેને વર્ષ ૮૧૧૩ સુધીમાં કાઢી લેવામાં આવશે. આ જ પ્રકારે લેખિકા માગ્રેટ એટવુડે અનેક પબ્લિશ ન થયેલા ઉપન્યાસ ટાઈમ કેપ્સ્યુલમાં દાટેલા છે. જેને વર્ષ ૨૧૧૪માં કાઢીને પ્રકાશિત કરવામાં આવશે.

હવે રામ મંદિર નીચે રાખવામાં આવેલી ટાઈમ કેપ્સ્યુલની વાત કરીએ તો તેમા અયોધ્યા, શ્રી રામ જન્મભૂમિ, ભગવાન રામ અને તેમના જન્મ સ્થાન વિશે સંસ્કૃતમાં પુરી જાણકારી અને દસ્તાવેજ છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ સંસ્કૃત એવી ભાષા છે જેમા ઓછા શબ્દોમાં લાંબા વાક્યોનો સાર આવી જાય છે. આથી સંસ્કૃત ભાષાની પસંદગી કરવામાં આવી છે.

રામ મંદિર નીચે રાખવામાં આવનાર ટાઈમ કેપ્સ્યુલ તાંબાની છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ જાે ધરતીનો વિનાશ થઈ જાય તો સેંકડો વર્ષો બાદ પણ આ કેપ્સ્યુલ દ્વારા અયોધ્યા રામ મંદિરની જાણકારી પ્રાપ્ત થઈ શકે. ભારતના દરેક મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે. જેમા સૌથી ચર્ચિત કિસ્સો લાલ કિલ્લાનો છે. વર્ષ ૧૯૭૨માં તત્કાલિન પીએમ ઈંદિરા ગાંધીએ લાલ કિલ્લાની નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકાવી હતી. જાે કે, થોડા વર્ષો બાદ તેને બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યારે તત્કાલિન વિપક્ષે ઈંદિરા ગાંધીની ભારે ટીકા કરી અને આરોપ લગાવ્યો હતો કે, કાલ પત્રમાં ઈંદિરા ગાંધીએ તેમના પરિવારનું મહિમામંડન કર્યુ છે. આ ઉપરાંત આઈઆઈટી કાનપુર, મહાત્મા મંદિર ગાંધીનગર અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી જાલંધર સહિતના સ્થળોએ પણ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી છે.

વર્ષ ૧૯૭૨માં ઈંદિરા ગાંધીની સરકારે લાલ કિલ્લાની અંદર એક ટાઈમ કેપ્સ્યુલ રાખવાનો ર્નિણય કર્યો. વેલણના આકારની ધાતુની આ કેપ્સ્યુલમાં હાથથી લખેલા રેકોર્ડ અને કલાકૃતિઓ હતી. લાલ કિલ્લાની અંદર જે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવી હતી તેને ૧૦૦૦ વર્ષ બાદ બહાર કાઢવાનુ આયોજન હતુ. પરંતુ ઈન્દિરા ગાંધીની સત્તા જતા જ જનતા પાર્ટીની સરકારે તેને હટાવી દીધી હતી.

ટાઈમ કેપ્સ્યુલ વિવાદની સાથે પીએમ મોદીનું નામ પણ જાેડાયેલુ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૧માં ટાઈમ કેપ્સ્યુલ લગાવવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. વિપક્ષની દલીલ હતી ગાંધીનગરમાં નિર્મિત મહાત્મા મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ દફનાવવામાં આવી છે, જેમા ગુજરાતના મુખ્યમંત્રીએ તેમની ઉપલબ્ધિઓના વખાણ કર્યા છે.

વિશ્વમાં તમામ ઐતિહાસિક સ્થળો પર ટાઈમ કેપ્સ્યુલ જાેવા મળે છે. વર્ષ ૨૦૧૭માં સ્પેનના બાર્ગોસમાં ઈસા મસીહની મૂર્તિની અંદર ૪૦૦ વર્ષ જુની ટાઈમ કેપ્સ્યુલ મુકવામાં આવી હતી. જેમા વર્ષ ૧૭૭૭ની આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક જાણકારીઓ હતી.

ટાઈમ કેપ્સ્યુલ વિવાદ પણ છે. જાણકારોનું કહેવુ છે કે, અનેકવાર કેપ્સ્યુલમાં બિનજરૂરી જાણકારી પણ રાખી દેવામાં આવે છે. ખાસ વ્યક્તિ કે, વસ્તુનું મહિમામંડન પણ હોય છે. પુરાતત્વવિદોને તેમાંથી કોઈ જાણકારી મળતી નથી.