Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત

અમદાવાદ, તા. ૧
અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ વધારો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે.

યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આરોપીઓ ૭ થી ૧૦ ટકાના વ્યાજે ઉઘરાણી કરતા હતા. ૨૦૦૧માં લીધેલા ૧૦ હજારની સામે જમીન વેચી ૮૦ હજાર ચૂકવ્યા હતા. છતા પણ વ્યાજખોરો વધુ ૫ લાખની માગણી કરતા હતા.

પોલીસે ૩ વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યાજખોર બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

(જી.એન.એસ)