Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન અમદાવાદ

શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો

(રિજવાન આંબલિયા)

કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું.

અમદાવાદ,તા.30 

શહેરના મેમનગર મિષ્ટી સ્ટુડિયો ખાતે શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૮૦થી વધુ કવિ અને કવિયત્રીઓ અને મહેમાનો મળીને  ૧૦૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહીને પોતાની કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું.

૨૮ એપ્રિલને રવિવારના રોજ અમદાવાદ ખાતે શબ્દોની હરીફાઈ પ્રસ્તુત અને રંગીન કાગડો ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનના ગુજરાતના ખૂબ જ જાણીતા એવા દિનકર જાની રંગીન કાગડો ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, કવિ, લેખક, કોર્યોગ્રાફર મલ્ટી ટેલેન્ટેડ દિનકરભાઈ જાની રંગીન કાગડો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર દરેક સભ્યોને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિનકરભાઈ જાની રંગીન કાગડો દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતભરના સાહિત્યકારોને ખૂબ જ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે. સાથે સાથે કલાકારોને પણ અવારનવાર પ્રોજેક્ટમાં તક આપીને સુંદર પ્લેટફોર્મ આપી પ્રોત્સાહિત કરે છે.

આવનારા સમયમાં દિનકરભાઈ દ્વારા મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખૂબ જ મોટાં કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિનકરભાઈ જાની રંગીન કાગડો દ્વારા અવારનવાર સાહિત્ય તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો સેલિબ્રિટીના એવોર્ડના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.