Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ

અમદાવાદ,તા.૨

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ છે. તેઓ હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરવા તત્પર રહે છે, જરૂરતમંદ ગરીબ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સદાય અવાજ બુલંદ કરે છે, લોકોને કાયદાકીય સહાય હંમેશા પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે, નિશીથ સિંગાપુરવાળા “RTI-Association Ahmedabad”ના પ્રેસીડેન્ટ તરીકે પણ સારી કામગીરી કરી રહ્યા છે, જેઓ હવે “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવશે જ તેવી લોકોમાં લાગણી અનુભવાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *