Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

T20 World Cup : રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન

તા. ૩૦
BCCI દ્વારા ૧ જુનથી શરુ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે, ટી૨૦ ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના પસંદગીકારોની એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદ પર યથાવત રાખવામાં આવ્યો છે.

ભારતની ટીમઃ-
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ
રિઝર્વ ખેલાડીઓઃ-
શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

૧ જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી ૨૦ વર્લ્ડ કપઃ-

ટી૨૦ વર્લ્ડ કપમાં કુલ ૨૦ ટીમો રમવાની છે. ટીમોને ૪ ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાં ૫ ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-૨ ટીમ સુપર ૮માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યારબાદ ફાઈનલ રમાશે. ટી ૨૦ વર્લ્ડ કપ ૧ જૂનથી શરૂ થશે અને ૨૯ જૂને સમાપ્ત થશે. ફાઇનલ ૨૯ જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ ૧ જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.

 

 (જી.એન.એસ)