Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગાઝામાં રાહત આપવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂરિયાત : બાગચી

ભારત તેની તરફથી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.

યુએન,
પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂર છે અને નોંધ્યું છે કે, સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જાેઈએ નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અરિંદમ બાગચીએ અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તના અહેવાલ બાદ ઇન્ટરએક્ટિવ ડાયલોગમાં માનવ અધિકાર પરિષદના ૫૫માં સત્ર દરમિયાન એક નિવેદનમાં આ વાત કહી.

અરિંદમ બાગચીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાવર્ત્રિક જવાબદારી વિશે સ્પષ્ટ થવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇનની વર્તમાન પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે, જેમાં મોટા પાયે નાગરિકોના જીવો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના નુકસાન અને અત્યંત ચિંતાની માનવતાવાદી કટોકટી છે. આ સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે અને અમે બધા નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે, રાહત પૂરી પાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂર છે. આ સંઘર્ષ પ્રદેશની અંદર અથવા તેની બહાર ફેલાવો જાેઈએ નહીં. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બે-રાજ્ય સિદ્ધાંત પર આધારિત ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો ઉકેલ પહેલા કરતાં વધુ તાકીદનો બની ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે, આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાને હલ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમણે કહ્યું કે, આપણે સ્પષ્ટ હોવું જાેઈએ કે, આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રિયાઓ આપણી નિંદાને પાત્ર છે.

આતંકવાદને લઈને ભારતની રણનીતિ ઝીરો ટોલરન્સની રહી છે. બંધકોનું પરત આવવું જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત, તેની તરફથી, દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્‌‌સ વોલ્કર તુર્કે પોતાના નિવેદનમાં કહ્યું કે, પેલેસ્ટાઈન પર વર્તમાન સ્થિતિ પરનો રિપોર્ટ વાંચવો ખૂબ જ પીડાદાયક છે. વોલ્કર તુર્કે કહ્યું કે, એવું લાગે છે કે ગાઝામાં આપણી આંખો સમક્ષ જે ભયાનકતા પ્રગટ થઈ રહી છે તેની કોઈ મર્યાદા નથી – તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.

 

(જી.એન.એસ)