Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન દેશ

મારી માતાના કારણે હું અત્યાર સુધી “ઉમરાહ” કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ

શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” (મુસ્લિમોમાં કરવામાં આવતી ધાર્મિક યાત્રા) પર કેમ નથી જઈ રહ્યો..?

તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય.

મુંબઈ,તા.૦૫
સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૧’માં પોતાની પ્રતિભા દેખાડનાર ફેમસ એક્ટર શોએબ ઈબ્રાહિમ યુટ્યુબ પર ખૂબ જ એક્ટિવ છે. શોએબ અને દીપિકા યુટ્યુબ ચેનલ પર તેમના વ્લોગ દ્વારા ચાહકો સાથે તેમના જીવનની ઝલક શેર કરે છે. બંનેની અલગ-અલગ યુટ્યુબ ચેનલો છે અને બંને આ ચેનલ દ્વારા કરોડો લોકો સાથે જાેડાયેલા છે.

તાજેતરમાં, તેના લેટેસ્ટ વ્લોગમાં, શોએબે તેના ચાહકો સાથે તેના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. તેણે ચાહકો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ વ્લોગમાં એક ચાહકે શોએબને આ સવાલ પૂછ્યો હતો કે, તે અન્ય સેલિબ્રિટીઓની જેમ પરિવાર સાથે વિદેશ કેમ નથી જતો..? આ સવાલનો જવાબ આપતા શોએબે કહ્યું કે, તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય. તેને મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ છે. તે ઈચ્છે છે કે, તે દીપિકા અને તેના પુત્ર રૂહાન સાથે વિદેશ જાય. પરંતુ ઉડવાના ડરને કારણે તે આ પ્રવાસનો આનંદ માણી શકતો નથી અને તેથી જ તે મોટે ભાગે મુંબઈની આસપાસ ફરવાનું પસંદ કરે છે.

આ વીડિયોમાં શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” પર કેમ નથી જઈ રહ્યો..? આ પ્રશ્નનો જવાબ આપતા શોએબે કહ્યું કે, “ખરેખર, હું હંમેશા ભગવાનનો આભારી રહીશ કે, હું જ્યારે ઈચ્છું ત્યારે “ઉમરાહ” કરી શકું છું. પરંતુ મારી માતાના કારણે હું આજ સુધી “ઉમરાહ” કરી શક્યો નથી. હું હાલમાં મારી માતાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારી જેમ તે પણ ફ્લાઈટથી ડરે છે અને તેથી તે પણ ફ્લાઈટમાં ચઢવા માંગતી નથી. હું અત્યારે મારી માતા વિના “ઉમરાહ” કરવા માંગતો નથી.

 

(જી.એન.એસ)