Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ દેશ

લોકસભા ચૂંટણીમાં મત આપવા નહીં જાઓ તો તમારાં ખાતા માંથી ૩૫૦ રૂપિયા કપાઈ જશે..!

ફેસબુક, એક્સ અને વોટ્‌‌સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે.

અમદાવાદ,તા.૩૦
સોશિયલ મીડિયા પર કંઈપણ વાયરલ થઈ જાય છે. વાયરલ થવાની સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકો તેને સત્ય તરીકે સ્વીકારી લે છે. આજે પણ ભારતમાં લખેલી દરેક વસ્તુ સાચી માનવામાં આવે છે.

હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાે તમે આગામી લોકસભા ચૂંટણીમાં વોટ નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી ૩૫૦ રૂપિયા કપાશે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાે બેંક ખાતામાં પૈસા નથી તો મોબાઈલ રિચાર્જ દરમિયાન પૈસા કપાઈ જશે.

આ સાથે એક પેપર કટીંગ પણ વાયરલ થઈ રહ્યું છે. ચાલો જાણીએ આ પોસ્ટ સાચી છે કે, ખોટી..?

ફેસબુક, એક્સ અને વોટ્‌‌સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી ૩૫૦ રૂપિયા કપાશે. ‘પંચે તમામ બેંકોને આ આદેશનો અમલ કરવા કહ્યું છે.’ પોસ્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘કમિશનના પ્રવક્તાએ કહ્યું કે, જે મતદારોના બેંક ખાતામાં ૩૫૦ રૂપિયા નથી અથવા જેમની ઓળખ આધાર કાર્ડ પર આધારિત છે અને તેમની પાસે બેંક ખાતું નથી, તેમને રિચાર્જ સમયે પૈસા ઉપાડવા માટે કહેવામાં આવશે. કાર્ડ સાથે લિંક કરેલ બેંકમાંથી તેમનો મોબાઈલ ફોનમાંથી કપાઈ જશે. આ માટે ન્યૂનતમ ૩૫૦ રૂપિયાનો ચાર્જ લેવો પડશે, આથી ઓછી રકમથી ફોન રિચાર્જ કરવામાં આવશે નહીં.

પેપર કટીંગ અંગે કરવામાં આવેલો આ દાવો તદ્દન ખોટો છે.

PIB ફેક્ટ ચેક ટીમે આ પોસ્ટનું ફેક્ટ ચેક કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ટીમે તેને સંપૂર્ણપણે નકલી અને અફવા ગણાવી છે. પીઆઈબીએ કહ્યું છે કે, આ સમાચાર નકલી છે. ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી. જવાબદાર નાગરિક બનો, મત આપો..!! ચૂંટણી પંચે પણ તેને નકલી ગણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે, પેપર કટીંગ પહેલીવાર વાયરલ નથી થયું. દેશમાં દરેક મોટી ચૂંટણી પહેલા આ કટિંગ વાયરલ થાય છે અને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગે છે. જાે આ તમારા સુધી વાયરલ થઈ ગયું છે તો ચિંતા કરશો નહીં અને તેને બીજા કોઈને ફોરવર્ડ કરશો નહીં.

 

(જી.એન.એસ)