Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

અમદાવાદ : હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે ત્રણ દરવાજાથી પગપાળા જઈ અકીદતની ચાદર પેશ કરવામાં આવી

ત્રણ દરવાજા પટવાશેરીથી હજારોની સંખ્યામાં અકીદતમંદોએ પગપાળા જઈને શહેનશાહે ગુજરાત હજરત શાહેઆલમ (રહે.)ના ઊસૅ નિમિત્તે  ચાદર પેશ કરી…..


અમદાવાદ,તા.૯

શહેરના ત્રણ દરવાજા પટવાશેરી ખાતેના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દરવાજાથી પગપાળા શહેનશાહે ગુજરાત હઝરત શાહઆલમ (રહ.)ની દરગાહ પર અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી.

હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 565માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર જફરભાઈ (બચ્ચન)ની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને એક જુલુશની શકલમાં શહેનશાહે ગુજરાત હઝરત શાહઆલમ (રહ.)ની દરગાહ પર જઈ ચાદર ચઢાવવામાં આવી હતી અને સમગ્ર દેશમાં વસતા ભારતીયો માટે દુઆ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બે નિશાન, બે છય્યમ (ઢોલ,તાન્શા), ચાર જેટલી ઘોડા ગાડી જેમાં નાના બાળકો સવાર હતા અને હઝારોની સંખ્યામાં અકીદતમંદો પગપાળા જુલુશની સાથે શાહેઆલમના રોઝા પર પહોંચ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ અગ્રણીયો, સામાજિક કાર્યકર્તાઓ અને મીડિયા કર્મીઓએ જોડે રહીને કોમી એકતા સાથે આ જુલુશને સફળ બનાવ્યું હતું.

મુસ્લિમ અગ્રણીયોમાં યુસુફ ખાન પઠાણ (Y.K Builder), સઈદ ભાઈ શેખ (અજુબા રેડીમેડ), જફર ભાઈ બચ્ચન (J.B. Emporiyam), અનવરખાન પઠાણ (Aabad Footwear), જહાંગીર ભાઈ (H.P Petrol Pump) વાળા સાથે રહ્યા હતા. સામાજિક કાર્યકર્તાઓમાં સમીર ભાઈ કુરેશી (S.Q. Developer), નઈમ ભાઈ શેખ (પ્રમુખ-પન્જેતન ચેરીટેબલ ટ્રસ્ટ), સરફરાજ ખાન પઠાણ, અજજુભાઈ શેખ (Z.K Hotel), સમીર ભાઈ (Advocate), જીપી ભાઈ ચાવાળા, હસન ભાઈ કુરેશી અને મોટી સંખ્યામાં સમાજ સેવકો જોડાયા હતા. પત્રકાર મિત્રોમાં બિલાલ લુહાર (તંત્રી- પોલીસ ફાઈલ), હારુન બેલીમ (તંત્રી- સત્ય ની ફાઈલ), આમીર શેખ (તંત્રી- સંજરી એકસપ્રેસ), રીઝવાન આંબલિયા (તંત્રી-મારું મંતવ્ય) તથા સફીર ન્યુઝના તંત્રી- આસિફ શેખ સાથે જોડાયા હતા.

આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ત્રણ દરવાજા પટવાશેરીથી ચાદર લઈને પગપાળા આવેલા અકીદતમંદોનો દરગાહ પરીસરમાં  સ્વાગત કર્યો હતો.

(ફોટો : હારુન ભાઈ બેલીમ)