Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ દેશ

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર

(અબરાર એહમદ અલવી)

દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર

PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી છે.

13 જાન્યુઆરીના રોજ PM મોદી દ્વારા મોકલવામાં આવેલી આ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે. અજમેર શરીફની દરગાહ પર આ વર્ષે 812મો ઉર્સ ઊજવવામાં આવશે.ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર દર વર્ષે ઉર્સનાં અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં હોય છે. છેલ્લાં 10 વર્ષથી PM મોદી અજમેર શરીફ દરગાહ માટે આ ચાદર મોકલી રહ્યાં છે. 13 જાન્યુઆરીનાં રોજ PM દ્વારા મોકલવામાં આવેલી આ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે.