Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે
અમદાવાદ,તા.૦૨
અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જાે કે, જનતા વારંવાર તેની અવગણના કરતી જાેવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જાેવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.

અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે.

જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા ૫૦થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે. જાે કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા ૨૦૦નો દંડ વસૂલવામાં આવશે.

 

(જી.એન.એસ)