અમદાવાદ
વર્ષ 2020-21માં સરકાર તરફથી આપવામાં આવેલ ફ્રી શીપ કાર્ડ કોલેજ દ્વારા માન્ય રાખવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવી રહી છે. ફ્રી શીપ કાર્ડથી સરકાર જ વિદ્યાર્થીઓની ફી ભરે છે પરંતુ સરકારે ન ભરતા કોલેજના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી પર ફી માટે દબાણ કરવામાં આવે છે. કોલેજમાં અભ્યાસ કરતા SC-ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને કોલેજની ફી ભરવામાં સહાય મળે છે અને સંપૂર્ણ ફી કાર્ડ સરકાર દ્વારા સીધી કોલેજના એકાઉનટમાં જમાં થાય છે. પરંતુ વર્ષ 2020-21ની ફી ભરાઈ નથી. જેના કારણે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરવામાં આવે છે માટે ગુજરાત યુનિવર્સિટીના વેલફેર મેમ્બર સંજય સોલંકી તથા તેમના સાથીઓ દ્વારા આ મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.