Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૭૭માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે “મોહસીન એ આઝમ મિશન” દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપળા,તા.૧૫

રાજપીપળા બાલાપિર દરગાહ ખાતે યોજવામાં આવેલ કર્યક્રમમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી ચૌધરીએ ખાસ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.

“મોહસીન એ આઝમ મિશન” દ્વારા રાજપીપળા “બાલાપીર બાબા”ની દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી

આજે ૧૫મી ઓગસ્ટ એટલે કે, સ્વતંત્રતા દિવસ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 77માં સ્વતંત્રતા પર્વની દબદબા ભેર સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજપીપળાના "મોહસીન એ આઝમ મિશન" રાજપીપળા દ્વારા "બાલાપીર બાબા"ની દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

"મોહસીન એ આઝમ મિશન"ના વડા સૈયદ હસન અશકરી મિયાંના આદેશ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમ ખાસ રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી. ચૌધરી  ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું 

આજના કાર્યક્રમમાં "મોહસીન એ આઝમ મિશન" રાજપીપળાના પ્રમુખ, શાહનવાઝ પઠાણ, સૈયદ મહમદ મીયા, સૈયદ અશરફી બાપુ, વિકેશ પટેલ, નવાફળીયા મસ્જિદ મૌલવી નીયાજ અલી સહિત મુસ્લિમ આગેવાનો, મહાનુભાવો તથા મીશનના સભ્યો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *