Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : સરખેજ નજીક ST બસમાં આગ લાગતા તમામ મુસાફરોને બચાવી લેવાયા

યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા.

અમદાવાદ,તા.૨૩

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

સરખેજ ચાર રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી. સરખેજ પોલીસ સ્ટેશન નજીક ૧૨ વાગ્યાની આસપાસ આ પ્રકારની આગની ઘટના બની હતી. યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા.

બીજી તરફ આ અગાઉ સુરતમાં ડુંગળી ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. નેશનલ હાઈવે ૪૮ પર કીમ ચાર રસ્તા ઓવર બ્રિજ પર આવી જ ઘટના બની હતી. ડુંગળી ભરેલ ટ્રક નાસિકથી ભરૂચ તરફ જઈ રહી હતી. ટ્રકના એન્જિનમાં આગ લાગતા ડ્રાઈવરે ટ્રક રોકી હતી.

 

(જી.એન.એસ)