Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ,
ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે.

કોર્ટે સવાલ કર્યો હતો કે, છેલ્લા ૧૮ વર્ષમાં શું કોઈ સ્થિતિ બદલાઈ નથી..? કોર્ટે જણાવ્યું હતું કે, તે સમયે શહેરમાં વાહનોની જંગી ફોજ ન હતી, તેથી લક્ઝરી બસ બેરોકટોક આવે ત્યારે તે સમયે કોઈને વાંધો ન હતો. હવે શહેરમાં દ્વિચક્રી વાહનોનો કાફલો છે. આ સંજાેગોમાં કમ સે કમ ઓફિસ ટાઇમમાં તો મોટા અને ભારે વાહનો ચલાવવા શક્ય નથી. તેના લીધે અકસ્માત પણ વધ્યા છે.

 

(જી.એન.એસ.)