Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દેશમાં હાર્ટએટેકના વધતા કિસ્સાઓ : કલરકામ કરતો કારીગર કામ કરતા જ મૃત્યુ પામ્યો

ઉમેશ નંદલાલ પાલ કલરકામ કરતી વેળા બેભાન થઈ ગયો હતો હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરત,તા.૪
સુરત શહેરમાં અચાનક વધુ એક મોત નિપજવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રા વડવાળા સર્કલ પાસે કલરકામ કરતી વેળા કારીગર અચાનક ઢલી પડ્‌યો હતો.

સિંગણપુર ગામ હરી દર્શનના ખાડા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા ઉમેશ નંદલાલ પાલ ઉંમર વર્ષ ૪૧ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે સાંજે ઉમેશ પાલ કાપોદ્રા વડવાળા સર્કલ પાસે કલરકામ કરી રહ્યો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જેથી તેનો ભાઈ મદન તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો.