Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

નેપાળ સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો

સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે.


નેપાળની સરકારે તેના લોકોને કામ માટે યુક્રેન અને રશિયા જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ નેપાળ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કામ માટે જઈ રહેલા ઘણા લોકોને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હતા. પછી તેમને આ સંઘર્ષમાં મોરચા પર મોકલવામાં આવ્યા.

નેપાળી સરકાર પાસે એવી માહિતી છે કે, જ્યાં નેપાળી મૂળના ઘણા લોકો રશિયન સેના વતી લડતા મૃત્યુ પામ્યા છે. નેપાળ સરકાર આ અંગે વધુ સારી માહિતી એકઠી કરવાના ઉદ્દેશ્ય સાથે તપાસ કરી રહી છે.. એવું માનવામાં આવે છે કે, લગભગ ચાર નેપાળી લોકોને યુક્રેનની સેના પકડીને લઈ ગયા છે. આ યુદ્ધમાં ઓછામાં ઓછા ૧૦ નેપાળી લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

નેપાળમાંથી દર વર્ષે હજારો લોકો કામ માટે બહાર જાય છે. આ તમામ લોકોએ આ માટે નેપાળ સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. નવા આદેશ બાદ નેપાળી લોકો કામ માટે રશિયા અને યુક્રેન જઈ શકશે નહીં. સરકાર તેમને આ માટે જરૂરી પરમિટ આપશે નહીં.. જાે કે, મોટાભાગના સમાચાર નેપાળી લોકો રશિયન બાજુ પર લડતા હોવાના છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્‌સ કહે છે કે, કેટલાક નેપાળી લોકો પણ યુક્રેન વતી ભાડૂતી તરીકે લડી રહ્યા છે. જાે કે, અત્યાર સુધી આ લોકોની ચોક્કસ સંખ્યા, તેઓ યુક્રેનિયન આર્મીના સંપર્કમાં કેવી રીતે આવ્યા, તેમની હાલની સ્થિતિ, તેઓ જીવિત છે કે માર્યા ગયા છે તે વિશે સંપૂર્ણ માહિતી નથી.

નેપાળ સરકારના આદેશ પર રશિયા અને યુક્રેન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સામાન્ય રીતે, યુદ્ધની સ્થિતિમાં કોઈપણ દેશમાં ન જવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અહીં મામલો જરા અલગ છે.

(જી.એન.એસ)