Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નાંદોદના MLA ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી સિંચાઈ માટે વિજળી આપવા નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીને પત્ર આપ્યું

(સૈયદ સાજીદ ) રાજપીપળા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. આ જોતા નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈને વીજળીનો સમય વધારવા માટે પત્ર લખી રજૂઆત કરી છે.

નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પત્ર લખી જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદ ખેંચાવાનાં કારણે ખેતીમાં નુકશાન થઇ રહ્યુ છે. તેમજ મુખ્ય પાક કેળ, કપાસ, શેરડી વગેરે વધુ પાણીની જરૂરીયાત ધરાવતા હોવાના કારણે પાકને નુકશાન થઈ રહ્યુ છે. જેથી અમારા નર્મદા જિલ્લામાં ખેડુતોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે 8 કલાકના બદલે 10 કલાક વિજળી આપવા આપશ્રીને મારી અંગત ભલામણ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *