Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ક્રાઈમ કેપિટલ બન્યું નર્મદાનું દેડીયાપાડા તાલુકો, વધુ એક સગીરા પર બળાત્કાર

સાજીદ સૈયદ, નર્મદા

ચાર દિવસમાં ત્રીજી ફરિયાદથી હાહાકાર

ડેડીયાપાડા,તા.૫

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ચાર દિવસમાં ત્રણ સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં દેડીયાપાડા બદનામ થયું છે. દેડીયાપાડા પોલીસના ચોપડે નોંધાયેલ ત્રીજી ફરિયાદ મુજબ તા. 3 સપ્ટેમ્બરના રોજ ઢોરો ચરાવવા ગયેલી 16 વર્ષીય સગીર બાળા ઉપર ચાર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામેં આવી છે, જેને લઈ દેડીયાપાડા પોલીસે  આરોપીઓની તાત્કાલિક સગડ મેળવી તેમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
દેડીયાપાડામાં ચાર દિવસમાં  સગીરા પર બળાત્કારની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં પહેલી ઘટનાની ફરિયાદ તા. 31 ઓગસ્ટના રોજ નોંધાઇ હતી જેમાં કાબરીપઠાર ગામના નરાધમ શખ્સે માત્ર 8 વર્ષની નાની બાળકીની ફૂલ સમી કાયાને ચૂંથી નાખી હતી, જ્યારે બીજી ઘટેલી ઘટનાની ફરિયાદ તા. 2 સપ્ટેમ્બરે નોંધાઇ હતી, એ ઘટનામાં હેવાન બનેલા સગા બાપે પોતાની માસુમ 11 વર્ષીય દિકરીની ઉપર સતત ચાર વર્ષ સુધી અમાનુષી અત્યાચાર કરી 7 માસની ગર્ભવતી કરી દીધી હતી.  જ્યારે ત્રીજી બનેલી બળાત્કારની ઘટનામાં તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા તેના ગામની સીમમાં ઢોરો ચરાવા ગઈ હતી જ્યાં સગીરાને એકલી જોઈ 4 જેટલા હવસખોરોએ પીંખી નાખી હતી. જેમાં અલ્પેશ રાયસિંગ વસાવા, ખુમાનસિંહ સુરેશ વસાવા, નિલેશ રમેશ વસાવા તથા ગોવનજી રડવીયા વસાવા તમામ રહે. બંટાવાડી તા. દેડીયાપાડા, જી.નર્મદાનાઓ ત્યાં ધસી આવ્યા હતા અને સગીરાનો એકલતાનો લાભ લઇ ઉદ્ધતા પૂર્વક વર્તન કરી એક સાથે 4 નરાધમોએ તેના ઉપર નિર્દયતા પૂર્વક સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનેલ ઘટનાને પગલે ભોગ બનનાર સગીરાના પિતા ચારેય નરાધમો વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દેડીયાપાડા પોલીસ મથકના પોલીસ ઇનસ્પેક્ટર પી.જે.પંડ્યાએ આરોપીઓ સામે આઇપીસી કલમ 376 અને પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી તાત્કાલીક આરોપીઓનું લોકેશન મેળવી તમામ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *