Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અક્ષય કુમારને પાન-મસાલા બ્રાન્ડની જાહેરાતમાં જોતા ફેન્સ ભડક્યા

આ નવી જાહેરાત શાહરૂખ ખાનના ઈન્સ્ટાગ્રામ ફેન્સ પેજ પર શેર કરવામાં આવી છે.

મુંબઈ,
શાહરૂખ ખાન-અક્ષય કુમાર અને અજય દેવગન પાન મસાલા એડ માટે ફરી એકવાર સાથે જાેવા મળ્યા હતા. ‘વિમલ પાન મસાલા’ની નવી જાહેરાત માટે ત્રણેય જણાએ ફરી હાથ મિલાવ્યા છે.

સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સને એકસાથે જાેઈને ફેન્સ ખુશ છે. તે જ સમયે, નેટીઝન્સ તેની જાહેરાત વિશે વાંધો વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર તેને ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. જાે કે, નેટીઝન્સ અક્ષય કુમારથી ખૂબ જ નારાજ છે. નેટીઝન્સે કહ્યું કે, અક્ષય ક્યારેય પોતાની વાત પર અડગ રહેતો નથી, જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે પોતાનો ર્નિણય બદલી નાખે છે.

તમને જણાવી દઈએ કે, આ નવી જાહેરાત શાહરૂખ ખાનના ઈન્સ્ટાગ્રામ ફેન્સ પેજ પર શેર કરવામાં આવી છે. આ જાહેરાતના વીડિયોમાં ત્રણેય પોતપોતાના દેખાવમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેમની રોયલ સ્ટાઈલ અદભૂત દેખાય છે. જાે કે, નેટીઝન્સ તેને જાેયા પછી ગુસ્સે છે. વાયરલ થયેલા વીડિયોમાં અક્ષય પ્રત્યે ચાહકોની નારાજગી જાેવા મળી રહી છે. એડના વીડિયોના જવાબમાં એક વ્યક્તિએ કહ્યું, ‘અક્ષયને લોકોની વાત સાંભળવી પડશે. તેણે કહ્યું હતું કે, તે પાન મસાલાની જાહેરાત નહીં કરે. તેણે કહ્યું હતું કે, હવે તે પાન મસાલાની જાહેરાત નહીં કરે કારણ કે, જ્યારે તેણે પહેલીવાર ‘વિમલ’ એડ કરી ત્યારે તેના ચાહકો ખુશ નહોતા. તો પછી તેણે ફરીથી આવું કેમ કર્યું..? વાયરલ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે પણ અક્ષયને આવો જ સવાલ પૂછ્યો છે. યુઝરે લખ્યું, ‘અક્ષય કુમાર ક્યારેય વિમલની એડ કરવા જતો ન હતો, તો હવે શું થયું..? આ કેવો ર્નિણય છે..?.’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘ખૂબ જ દુઃખદાયક અને પરેશાન કરનાર. આનાથી સાબિત થશે કે, અક્ષય પોતાની વાતને વળગી રહ્યો નથી. તેના વચનો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. યાદ કરો કે, આ વર્ષની શરૂઆતમાં વિમલની દુનિયામાં જાેડાયા બાદ અક્ષયને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થયા પછી, એપ્રિલમાં, અક્ષયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ દ્વારા તેના ચાહકોની માફી માંગી હતી. પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, ‘મને માફ કરજાે. હું તમારી, મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવે મારા પર ઊંડી અસર કરી છે. જાે કે હું પાન મસાલાને સમર્થન આપતો નથી અને કરીશ પણ નહીં, વિમલ એલચી સાથેના મારા જાેડાણને ધ્યાનમાં રાખીને હું તમારી લાગણીઓની અભિવ્યક્તિનું સન્માન કરું છું. તમને યાદ અપાવી દઈએ કે, અક્ષયે તેની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, તેણે આ એડ સાથે તેના તમામ કરારો તોડી નાખ્યા છે. તેણે લખ્યું હતું કે, ‘હું પૂરી નમ્રતા સાથે પાછળ હટી ગયો છું. મેં જાહેરાતમાંથી મળેલા પૈસા એક સારા હેતુ માટે આપવાનું નક્કી કર્યું છે. બ્રાન્ડ કરારની કાનૂની મુદત માટે જાહેરાતો પ્રસારિત કરવાનું ચાલુ રાખી શકે છે. જે મને બંધનકર્તા છે, પરંતુ હું મારી ભાવિ પસંદગીઓ કરવામાં અત્યંત સાવચેત રહેવાનું વચન આપું છું. બદલામાં, હું હંમેશા તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માંગીશ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *