Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું

સાત વર્ષની દીકરીનાં હૃદયમાં કાણું હતું, PSIએ ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ

અમદાવાદ,
અમદાવાદ શહેર પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિના” સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે.

શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે. આ કિસ્સામાં ઇસનપુરના PSI આકાશ વાઘેલા ઘોડાસર વિસ્તારમાં પોલીસ ચોકીમાં PSI તરીકે કાર્યરત હતા. ત્યારે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આવકાર હોલ ચાર રસ્તા પર ટ્રાફિકના કારણે દબાણ થતું હોવાથી ફેરિયાઓ સાથે મળીને પોતાની ફરજ પર હતા. આ દરમિયાન ઘોડાસર પાસે આવેલ એક નર્સરી ચલાવતા મુકેશ કુશવાહ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. પીએસઆઇ વાઘેલાએ મુકેશ કુશવાહ અને રસ્તા પર ટ્રાફિક થતો હોવાથી નર્સરી હટાવી લેવા માટે આગ્રહ કર્યો હતો. તેથી મુકેશકુમારએ કહ્યું કે, જાે તેઓ નર્સરી હટાવી દેશે તો તેમના ઘરના ગુજરાનની સાથે તેમની દીકરીને બચાવી નહીં શકે ! કેમ કે, સાત વર્ષની અંજુ નામની દીકરીને હૃદયમાં કાણું હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ સાંભળતા જ પીએસઆઇ આકાશ વાઘેલાએ તેમની દીકરીની સારવારની ફાઈલ મંગાવી બીમારી વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જે વાત પીએસઆઇએ અંજુ નામની બાળકીની સારવાર કરવાનો બિડુ ઝડપી લીધું. જે માટે તેમને પ્રથમ તેમના ડોક્ટર મિત્રોને સંપર્ક કરી રોગની ગંભીરતાને જાણવાનો પ્રયાસ કર્યો અને યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરો સાથે મળીને હૃદયમાં કાણા બાબતે તેનો ઈલાજ કરાવવાની શરૂઆત કરી.

આ દરમિયાન આ બાળકીનું સફળતા ઓપરેશન થયું અને હાલ તેની તબિયત સુધારા પર છે. પીએસઆઈ વાઘેલાનું કહેવું છે કે, તેમને પણ એક બાળક છે અને પિતા તરીકે નર્સરી સંચાલકની વ્યથા સમજી શક્યા, જેથી આ બાળકીનો ઈલાજ શક્ય બન્યો. પોલીસ અધિકારી તરીકેના આ કાર્યને ચારેય તરફથી પ્રશંસા મળી રહી છે.

 

(જી.એન.એસ)