Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ સૂફીવાદ

અમદાવાદ : “પીર મહેમુદ શાહ બુખારી”ની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી

(મોહમ્મદ રફીક શેખ)

જમાલપુરથી પીર મહેમુદ શાહ બુખારીની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા


અમદાવાદ,તા.૧૭

શહેરના ખમાસા ચાર રસ્તાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રા ભડીયાદ જવા માટે નીકળી હતી જેમાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા.

ગુજરાતના મહાન સુફીસંત  ઓલિયા અને કોમી એકતાના પ્રતીક સમાન હઝરત પીર મેહમૂદ શાહ બુખારી દાદાનો ઉર્ષ મુબારક તા.૧૭મી થી ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૩ સુધી મનાવાશે.

આ ઉર્ષ માટેના નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રાનું તા.૧૭મી જાન્યુઆરીના રોજ બુધવારે બપોરે ૨.૩૦ વાગ્યે ખામાસા ચાર રસ્તાથી ભડીયાદ જવા માટે રવાના થઇ હતી. નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રા ૨૧મીએ ભડીયાદ પહોંચશે.