Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સિદી સૈયદની જાળી ખાતે “અમદાવાદ સ્થાપના દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

(અબરાર એહમદ અલવી)

સિદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે 613 અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો

અમદાવાદ,તા.૨૭

સુલતાન એહમદશાહ બાદશાહે આજથી ૬૧૩ વર્ષ પહેલા અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી જેનો આજરોજ અહમદાબાદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે કેક કાપી સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ શહેરના લાલ દરવાજા, સિદી સૈયદની જાળી ખાતે રાખવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તસનીમ આલમ બાવાસાહબ તિરમિઝી, ઇકબાલ શેખ, હાજીભાઈ મિર્ઝા, ઝુલ્ફીખાન પઠાણ, ઈમ્તિયાઝ શેખ, અમદાવાદ શહેર માઈનોરિટીના ચેરમેન પપ્પુભાઈ શેખ, ઝફર અજમેરી, ઝફર શેખ, જી.પી ચા વાલા, મોહંમદ હુસેન શેખ, એહમદ ભાઈ વિગેરે આગેવાનોએ  ઉપસ્થિત રહી એક બીજાને કેક ખવડાવી મોહ મીઠું કરાવી અને દેશમાં કોમી એકતા જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.