Safeer News

Breaking News from Ahmedabad

દેશ

૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે

છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે.

મુંબઈ,તા.૧૮
મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧ જુલાઈ, ૨૦૨૪થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટ્રાઈનું કહેવું છે કે, નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે. જાે કે આના કારણે સામાન્ય યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નિયમોમાં શું બદલાવ આવ્યો જે વિષે જણાવીએ

નવા નિયમો હેઠળ, જે મોબાઇલ વપરાશકર્તાઓએ તાજેતરમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે, તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, સિમ એક્સચેન્જ કરવાને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે. જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. જાે આવું થાય, તો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને તમારા જૂના સિમને નવા સિમ સાથે બદલવા માટે કહી શકો છો. આનાથી ફાયદો શું થશે જે વિષે ટ્રાઈનું કહેવું છે કે, છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. નવો નિયમ છેતરપિંડી કરનારાઓને રિપ્લેસ કર્યા પછી તરત જ સિમ સ્વેપિંગ અથવા મોબાઇલ કનેક્શન પોર્ટિંગનો આશરો લેતા અટકાવવા માટે મૂકવામાં આવ્યો છે.

સિમ સ્વેપિંગ શું છે, જે વિષે જણાવીએ

આજના યુગમાં, સિમ સ્વેપિંગની છેતરપિંડી વધી છે, જેમાં છેતરપિંડી કરનારાઓ સરળતાથી તમારું પાન કાર્ડ અને આધાર ફોટો કેપ્ચર કરી લે છે. આ પછી, તેઓ મોબાઇલ ખોવાઈ જવાના બહાને એક નવું સિમ કાર્ડ મેળવે છે. આ પછી, તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે.

આ સાથે ટ્રાઈ (TRAI)ની ભલામણ 

TRAIએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)ને એક નવી સેવા શરૂ કરવાની ભલામણ કરી છે જેમાં મોબાઇલ વપરાશકર્તાના હેન્ડસેટ પર દરેક ઇનકમિંગ કૉલનું નામ પ્રદર્શિત થાય છે, પછી ભલે તે નામ સંપર્ક સૂચિમાં સાચવેલ હોય કે ન હોય. આનાથી છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે. પરંતુ આનાથી ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

 

(જી.એન.એસ)