Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

૧૪ ઓક્ટોબરની મેચ જાેવા પહોંચશે ફિલ્મ અભિનેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર

ભારત-પાકિસ્તાનની મેચ જાેવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન તેંડુલકર અમદાવાદના મહેમાન બનવાના છે.

અમદાવાદ,
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ મેચ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. કારણ કે, તેમાં ફિલ્મી સિતારા અને સિંગર્સ ચાર ચાંદ લગાવશે.

વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની તો નહોતી યોજાઈ, પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ઓપનિંગ સેરેમની જેવો જ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. ૧૪ ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચ જાેવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે. જ્યારે રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આશા ભોંસલે અને અરિજિતસિંહ પરફોર્મન્સ આપશે. મેચ દરમિયાન ભારે આતશબાજી અને લેસર શો યોજાવાની પણ શક્યતા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *