Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સોલ્યુશનનો નશો કરી અસ્થિર મગજના યુવાને 3 જેટલી મહિલાઓ પર હુમલો કર્યો

દારૂથી જ નશો થાય છે એવું નથી, દારૂ સિવાય સોલ્યુશન, ખાંસીની દવા, થીનર, સહિત અન્ય પદાર્થોનું સેવન કરી લોકો નશો કરતા હોય છે.

વલસાડ શહેરના સ્ટેડિયમ રોડના રામરોટી ચોક પર એક રખડતા ભટકતા અસ્થિર મગજના ઈસમે સોલ્યુશનનો નશો કરીને રસ્તા પરથી પસાર થતા ત્રણ જેટલા રાહદારીઓ પર બાટલીથી હુમલો કર્યો હતો.

સોલ્યુશનના નશામાં ઇસમે કરેલા હુમલામાં બોદલાઈની એક મહિલાનું નાકની ઉપરના ભાગે ઇજા પહોંચડતા સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અસ્થિર મગજ ધરાવતા નશાબાજ ઈસમને લોકોએ પકડી બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.

કોણ કહે છે કે દારૂથી જ નશો થતો હોય છે. એવું નથી, નશો કરવાના આદી બનેલા ઇસમો કોઈપણ રીતે નશો કરતા હોય છે. જેમાં ખાસ કરીને ખાંસીની દવા, થીનર, પંચર પડેલા ટ્યુબને ચીપકાવવામાં વપરાતું સોલ્યુશન સહિત અન્ય પદાર્થોથી નશો કરતા હોય છે. 50 વર્ષીય ઇસમે નશાની હાલતમાં રસ્તે ચાલતી ત્રણેય મહિલાઓ ઉપર બાટલી વડે હુમલો કર્યો હતો. જેમાં વલસાડના બોદલાઈ ગામની સ્વેતાબેન ગિરીશભાઈ પટેલ ઉંમર વર્ષ 32 જેવો બજારમાં સામાન લેવા આવ્યા હતા અને પગપાળા ચાલતી વખતે આ ઈસમે મહિલાને નાકના ઉપરના ભાગે કાચની બાટલી મારી ઇજા પહોંચાડી ભાગવા જતા ઈસમને પકડવા માટે દુકાનદારો અને રાહદારીઓ દોડ્યા હતા. જેઓએ તેને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

મહિલાને ઈજા પહોંચાડનાર ઈસમ સોલ્યુશનને રૂમાલમાં નાખી ભીજવી તેનો નશો કરતો હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોમાં માત્ર મહિલાને જ ટાર્ગેટ બનાવતો હતો. ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસ મથક અને ટ્રાફિક જમાદાર નાનાભાઈ તેમને ટીમ સાથે દોડી ગયા હતા. આરોપીને પોલીસ મથકે લઈ આવ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *