Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા ચકચાર

ભરૂચમાં ગુરુ અને શિષ્યની ગરીમાંને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હેવાન બનેલા એક શાળાના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવતા શિક્ષણ જગત માટે કલંકિત કરતી ઘટના સામે આવી છે, ઘટના બાદ મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હેવાન બનેલા પ્રિન્સિપાલની કરતુતો સામે લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ એક વિધા મંદિર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા નરાધમે પોતાની જ શાળામાં આવતી માસૂમ આદિવાસી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી, વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી નરાધમ આચાર્યએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

વિદ્યાર્થીની શાળાએ ન જતા અને શાળાએ ગયા બાદ સમગ્ર ઘટના અંગેની જાણ ફોન કરી પોતાની બહેનને કરતા મામલા અંગેનો ભાંડો ફૂટ્યો હતો, જોકે હાલમાં સમગ્ર બાબત અંગે ભરૂચ “બી” ડિવિઝન પોલીસે નરાધન સામે બળાત્કાર અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, તેમજ તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ સગીરાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસણી અર્થે ખસેડવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *