Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ સૂફીવાદ

અમદાવાદમાં “જુલુશે ગૌષીયા” કાઢીને ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી

ગૌષ પાક (રેહમતુલ્લાહ)ની શાનમાં મનકબત પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની ઉજવણી કરી

(લતીફ અન્સારી)

અમદાવાદ,તા.૨૭ શુક્રવાર

આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના પીર, રોશન ઝમીર હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રેહમતુલ્લાહ)ની ગ્યારવી શરીફ નિમિત્તે “જુલુશે ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ જુલુશનો આયોજન “દારુલ ઉલૂમ શાહેઆલમ” દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુશ ખમાશા “દારુલ ઉલૂમ શાહેઆલમ”થી વહેલી સવારે નીકળ્યો હતો. જેમાં ગૌષ પાકની શાનમાં મનકબત પઢતા પઢતા આશિકો ખમાશાથી નીકળીને ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પટવાશેરી, રીલીફ રોડ, સલાપસ રોડ, GPO રોડથી મિરઝાપુર ચોક ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મિરઝાપુર કુરેશ હોલ ખાતે નીયાઝ્નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં અકીદતમંદોએ ગ્યારવી શરીફની ઉજવણી કરી હતી.

આ જુલુસમાં “દારુલ ઉલૂમ શાહેઆલમ” કમિટીના સભ્યોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પટવાશેરી ખાતે “દારુલ ઉલૂમ શાહેઆલમ”ના મુફ્તી સાહેબનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. ૧૧વી શરીફની ખુશીના પ્રસંગે ખાસ દુઆ કરવામાં આવી હતી જેમાં શહેરમાં, ગુજરાતમાં તથા સમગ્ર ભારતમાં કૌમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *