Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અંક્લેશ્વર : ધોરણ 8ની છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ

(અમિત પંડ્યા)

અંક્લેશ્વરમાં ધોરણ 8ની આદિવાસી છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ કરવામાં આવી

ભરૂચ,તા.૨૫

અંક્લેશ્વર શહેરમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે આચાર્યએ ઓફિસની સાફ સફાઈ કરવાનાં બહાને બોલાવી શારીરીક અડપલાં કર્યા હતાં. છાત્રા સાથે શારીરીક અડપલાં થતા ભયભીત બનેલી દિકરી બે દિવસથી શાળાએ ન જતાં માતાએ પૂછતાં હકીકત બહાર આવી હતી. શનિવારે સરપંચે વચ્ચે પડતા આચાર્યનું માફીનામું લખાવી લઈ મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા હતા અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ જગતને લાંછન લગાવનારી હરકત સામે અંક્લેશ્વર ડિવિ. પોલીસે ગુનો નોંધી લંપટ આચાર્યની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *