Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત

પેલેસ્ટિનિયન કેદીઓની હિમાયત કરતા કમિશને આક્ષેપ કર્યો હતો કે, ડક્કાનું મૃત્યુ ઇઝરાયેલની ‘ધીમી હત્યા’ નીતિનું પરિણામ હતું.

ઇઝરાયેલ,તા.૦૮
ઇઝરાયેલની જેલમાં વધુ એક પેલેસ્ટિનિયન કેદીનું મોત થયું છે. ૬૨ વર્ષીય વાલિદ ડાક્કા, જે ૩૮ વર્ષથી ઇઝરાયેલની જેલમાં કેદ હતા, તેલ અવીવ નજીકના શમીર મેડિકલ સેન્ટરમાં શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ પામ્યા હતા. ઇઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમનું મૃત્યુ કેન્સરને કારણે થયું છે, ડિસેમ્બર ૨૦૨૨માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેમને લ્યુકેમિયા પણ હતો.

ડાક્કા પર આરોપ હતો કે, તે એક જૂથ સાથે સંકળાયેલા છે જેમણે એક ઇઝરાયેલી સૈનિકની હત્યા કરી હતી. ડાક્કાને ૧૯૮૪માં ઇઝરાયેલી સૈનિકના અપહરણ અને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ તે જેલમાં હતા. શરૂઆતમાં ડાક્કાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જે બાદમાં ઘટાડીને ૩૭ વર્ષ કરવામાં આવી હતી. પરંતુ ૨૦૧૮ માં, સજા વધુ ૨ વર્ષ લંબાવવામાં આવી હતી, તે માર્ચ ૨૦૨૫માં મુક્ત થવાના હતા. પરંતુ તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ ક્લબ, ઇઝરાયેલની જેલોમાં રાખવામાં આવેલા પેલેસ્ટિનિયનોના સંગઠને જણાવ્યું હતું કે, તબીબી પેરોલ માટેની ડાક્કાની અપીલ નકારી કાઢવામાં આવી હતી. જાે કે, પેલેસ્ટિનિયન પક્ષે તેમના મૃત્યુ પર અન્ય ઘણા આક્ષેપો કર્યા છે.

પેલેસ્ટિનિયન કેદીઓની હિમાયત કરતા કમિશને આક્ષેપ કર્યો હતો કે, ડક્કાનું મૃત્યુ ઇઝરાયેલની ‘ધીમી હત્યા’ નીતિનું પરિણામ હતું. કમિશનના જણાવ્યા અનુસાર, જેલ પ્રશાસન દ્વારા તેમની સારવાર કરવામાં આવી ન હતી અને ન તો તેમને મેડિકલ પેરોલ આપવામાં આવી હતી.

ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરે, જેઓ ઇઝરાયલ જેલ સેવાનો હવાલો સંભાળી રહ્યા છે, તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “ઇઝરાયેલને આતંકવાદીના મોતનો અફસોસ નથી.” તેણે વધુમાં કહ્યું કે, તેનું મૃત્યુ સામાન્ય મૃત્યુ હતું અને તે કોઈ સજાનો ભાગ નથી. ડક્કાના શંકાસ્પદ સંજાેગોમાં મોત બાદ પેલેસ્ટિનિયન શહેરોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી ‘વફા’એ ડક્કાને “સ્વતંત્રતા સેનાની” તરીકે વર્ણવ્યું છે. જ્યારે હમાસે પ્રતિક્રિયા આપી હતી અને તેમના મૃત્યુ માટે ઇઝરાયેલના વહીવટને જવાબદાર ગણાવ્યો હતો.

 

(જી.એન.એસ)