Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

“Mirzapur Season 3” : ઈંતજાર હવે પૂરો થયો, 2022માં નહિં પણ આ દિવસે આવી રહ્યાં છે કાલિન ભૈયા….

દર્શકોની જોરદાર ડિમાન્ડ પર મેકર્સ ‘મિર્ઝાપુર 3’ લઈને આવી રહ્યા છે.

આજકાલ ફિલ્મી દુનિયામાં રિમેક કે સિક્વલ બનાવવી સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને જે ફિલ્મો કે શ્રેણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. મોટાભાગે તેની સિક્વલ બને છે અને દર્શકો દ્વારા તેની પ્રશંસા પણ થાય છે. જેમ કે વેબ સીરિઝ ‘પંચાયત’ની પહેલી સીઝનને લોકોએ ઘણો પ્રેમ આપ્યો, ત્યારબાદ મેકર્સે તેની બીજી સીઝન બનાવવાનું નક્કી કર્યું અને સીરિઝ ઘણી હિટ થઈ.

એ જ રીતે પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ શર્માની વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ને પણ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, ત્યારબાદ મેકર્સે ‘મિર્ઝાપુર સીઝન 2’ બનાવી જે ખૂબ જ હિટ રહી અને હવે મિર્ઝાપુરની સિઝન 3 પણ હિટ થવાની તૈયારીમાં છે. OTT પ્લેટફોર્મ પર ‘મિર્ઝાપુર સિઝન 3’ ક્યારે આવશે તેની માહિતી પણ સામે આવી છે.

દર્શકોની જોરદાર ડિમાન્ડ પર મેકર્સ ‘મિર્ઝાપુર 3’ લઈને આવી રહ્યા છે. સીઝન 3માં કાલિન ભૈયા પુત્ર મુન્નાની હત્યાથી ખૂબ જ ગુસ્સે જોવા મળશે, બીજી તરફ ગુડ્ડુ ભૈયા પહેલા કરતા વધુ ડરામણા દેખાવમાં જોવા મળશે. આ સીઝનમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા વચ્ચે જબરદસ્ત લડાઈ જોવા મળશે. એકંદરે, સીઝન 3 પહેલા કરતા વધુ ડ્રામા જોવા જઈ રહી છે, તેથી તે વધુ મનોરંજક બનશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિર્ઝાપુર સીઝન 3નું શૂટિંગ ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થઈ જશે. તે જ સમયે, સીરિઝની રિલીઝ વિશે માહિતી આવી રહી છે કે “મિર્ઝાપુર સિઝન 3” આ વર્ષે રિલીઝ થશે નહીં. આ વેબ સિરીઝ 2023માં માત્ર એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે, એમેઝોન પ્રાઇમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સીઝન 3માં અલી ફઝલ પહેલા કરતા વધુ ખતરનાક ફોર્મમાં જોવા મળશે. તેને આ વખતે પણ જેલમાં જવું પડશે અને કાલિન ભૈયા તેના પુત્રના મોતનો બદલો લેતા જોવા મળશે. અલી ફઝલે સીઝન 3 માટે તેના સ્ટેચર પર ઘણું કામ કર્યું છે. તે પોતાના ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવવા માટે તૈયાર છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *