Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

દાખલ કરાયેલી અરજીમાં માતા કામાખ્યા પ્લેસ, આર્ય સંસ્કૃતિ રક્ષાનમ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રી કૃષ્ણ કલ્ચરલ રિસર્ચ ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે.

આગરા,તા.૧૦
ઉત્તર પ્રદેશના આગરામાં ફતેહપુર સીકરી ખાતે આવેલી શેખ સલીમ ચિશ્તી દરગાહ માતા કામાખ્યા દેવી મંદિર હોવાનો દાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. માતા કામાખ્યા દેવીના મૂળ ગર્ભગૃહને લઈને આગરા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગર્ભ ગૃહના દાવાનો આ દાવો સ્મોલ કોઝ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાં સંજ્ઞાન લઈને નોટિસ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

૯ મે ગુરુવારના રોજ એડવોકેટ અજય પ્રતાપ સિંહે કોર્ટમાં આ દાવો દાખલ કર્યો છે. દાખલ કરાયેલી અરજીમાં માતા કામાખ્યા પ્લેસ, આર્ય સંસ્કૃતિ રક્ષાનમ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રી કૃષ્ણ કલ્ચરલ રિસર્ચ ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે. તે જ સમયે, યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મેનેજમેન્ટ કમિટી દરગાહ સલીમ ચિશ્તી અને મેનેજમેન્ટ કમિટી જામા મસ્જિદને આ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

ફતેહપુર સીકરી આગરાથી લગભગ ૩૫ કિલોમીટર દૂર છે, જ્યાં સલીમ ચિશ્તી દરગાહ મા કામાખ્યા દેવીનું મંદિર હોવાનો દાવો કરવામાં આવે છે. એડવોકેટ અજય પ્રતાપ સિંહે કહ્યું કે, સલીમ ચિશ્તી દરગાહ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શૂટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફતેહપુર સીકરીની દરગાહ માતા કામાખ્યા દેવીનું મૂળ ગર્ભગૃહ છે અને જામા મસ્જિદ સંકુલ એક મંદિર સંકુલ છે. સીકરવારોની કુળ દેવી મા કામાખ્યા દેવીનું મંદિર ત્યાં હતું. ખાનવાના યુદ્ધ વખતે રાઓધામ દેવ ત્યાંનો રાજા હતો. રાઓધામ દેવના ઈતિહાસમાં આનો ઉલ્લેખ છે.

વકીલે એમ પણ કહ્યું કે, બાબરનામામાં ફતેહપુર સીકરીના બુલંદ દરવાજાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક અષ્ટકોણ કૂવો છે અને પશ્ચિમ-પૂર્વ ભાગમાં એક ગરીબ ઘર છે. બાબરનામામાં બાબરે તેને બાંધવાનો ઉલ્લેખ કર્યો છે. એડવોકેટ અજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, અષ્ટકોણ કૂવો એ હિંદુ સ્થાપત્ય છે. વિદેશી અધિકારી ઇવી હેવેલે તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે, જામા મસ્જિદની છત અને થાંભલાઓ શુદ્ધ હિંદુ ડિઝાઇન છે.

એડવોકેટના જણાવ્યા અનુસાર આગરાના ભૂતપૂર્વ ASI અધિક્ષક ડો. ડીવી શર્માએ વીર છવેલી ટીલા માટે આ ખોદકામ કર્યું હતું. ખોદકામ દરમિયાન તેમને સરસ્વતી અને જૈન શિલ્પોની મૂર્તિ મળી હતી. શર્માએ આકિર્યોલોજી ઓફ ફતેહપુર સીકરી ન્યૂ ડિસ્કવરી નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના પેજ નંબર ૮૬ પર સ્પષ્ટ રીતે લખ્યું છે કે, જામા મસ્જિદ હિંદુ સ્તંભો પર બનેલી છે. એડવોકેટ અજય પ્રતાપ સિંહે કહ્યું કે, જ્યાં સુધી સંશોધન ન થાય ત્યાં સુધી કંઈપણ પુષ્ટિ કરી શકાય નહીં, પરંતુ પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર એવું લાગે છે કે, આ અકબર પહેલાનું માળખું છે.

હાલમાં આ મામલો ચર્ચામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગના તત્કાલીન અધિક્ષક ડો. ડીવી શર્માએ એ.એસ.આઈને આર.ટી.આઈ દાખલ કરી હતી. આરટીઆઈમાં પૂછવામાં આવ્યું હતું કે, શું સલીમ ચિશ્તી દરગાહ અને મસ્જિદ પર કોઈ સંશોધન કરવામાં આવ્યું છે કે, નહીં..? જેના પર ASIએ કહ્યું હતું કે, કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.

 

(જી.એન.એસ)