Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ ગુજરાત

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે.

૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ

અમદાવાદ,
રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદ બાદ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જાેર રહેશે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતી વધુ રહેશે, કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે. માવઠાથી કેવી રીતે ખેડૂતોને સાચવવું તેના વિશે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે. દિવાળી પછી કેટલાક સ્થળોએ ચાર વાર માવઠું આવી ચુક્યું છે. વધુ એકવાર માવઠું આવે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ અનુભવાતા ભેજના કારણે પાક સંકટમાં આવી શકે છે. ઉનાળુ વાવેતરના સમયે જ કમોસમી વરસાદ ઘાતક નીવડી શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. ૧ માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.

માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી ૧ માર્ચથી ૫ માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં ૪૫ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. ૧ થી ૫ માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જાેર પણ રહેશે.

૧૦ માર્ચથી ૧૨ માર્ચમાં મોટા ફેરફાર થશે. તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, ૨૦-૨૧ માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

(જી.એન.એસ)