Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ સૂફીવાદ

હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી (રહે.)ના ઉર્ષ પ્રસંગે ચાદર પેશ કરાઈ

શહેરના ખાનપુર સ્થિત પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહુદ્દીન અલવિયુલ હુસૈની ગુજરાતી (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષ મુબારકની મહોરમ મહિનાના ૨૯માં ચાંદ રવિવારના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મજાર શરીફ પર ગલેફ પેશ કરવામાં આવી હતી. જેમા મુહમ્મદભાઈ, યુનુસભાઇ, મતીન અશરફ, નિઝામ અશરફ તથા પરિવારના તમામ સભ્યો ઉપરાંત આરીફભાઈ શેખ, બાબુભાઈ શેખ વગેરેએ હાજરી આપી હતી. ત્યારબાદ અહમદાબાદ શહેર, ગુજરાત અને દેશભરમાં શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે, લોકો ખુશહાલ બને તથા એકબીજા પ્રત્યે મહોબ્બત કેળવાય તેવી દુઆ કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *