Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

“મુન્નાભાઈ ૩”ની રાહ જાેઈ રહ્યો છું : સંજય દત્ત

મુંબઈ,તા.૦૪
સંજય દત્તની સદાબહાર ફિલ્મો પૈકીની એક મુન્નાભાઈ MBBSના બે પાર્ટ બની ચૂક્યા છે. વર્ષોથી મુન્નાભાઈ ૩ની રાહ જાેવાઈ રહી છે, પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. સંજય દત્ત અને અરશદ વારસીની જાેડીએ મુન્નાભાઈની બંને ફિલ્મમાં ઓડિયન્સને ભરપૂર મજા કરાવી હતી. મુન્નાભાઈ સીક્વલમાં ત્રીજી ફિલ્મ ક્યારે આવશે તેવો સવાલ અનેક વાર પૂછાય છે. આ વખતે સંજય દત્તે પોતે જાહેરમાં સ્વીકાર્યું છે કે, તેઓ મુન્નાભાઈ ૩ની રાહ જાેઈ રહ્યા છે.

આ ફિલ્મ ક્યારે બનશે..? વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મ ૧૨વીં ફેલ રિલીઝ માટે તૈયાર છે. તેમને આગામી ફિલ્મની શુભેચ્છા આપતી વખતે સંજય દત્તે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે, તેઓ હવે મુન્નાભાઈની રાહ જાેઈ રહ્યા છે. સંજય દત્તની આ કોમેન્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ જાેશમાં આવી ગયા હતા અને સંજય દત્તે પહેલી વાર જાહેરમાં આ અંગે વાત કરીને “મુન્નાભાઈ ૩” બનવા તરફ ઈશારો કર્યો હોવાનું લાગ્યું હતું.

મુન્નાભાઈ એમબીબીએસની બીજી ફિલ્મને ૧૨ વર્ષ વીતી ગયા છે, પણ હજુ કેટલી રાહ જાેવી પડશે..? ઉલ્લેખનીય છે કે, અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અરશદ વારસીએ ખોંખારીને જણાવ્યુ હતું કે, “મુન્નાભાઈ ૩” બનવાની કોઈ શક્યતા નથી. ઓડિયન્સને આ ફિલ્મ જાેવી છે અને ડાયરેક્ટર તેને બનાવવા ઈચ્છુક છે, પરંતુ પ્રોડ્યુસર રાજી થતા નથી. પ્રોડ્યુસર રાજકુમાર હિરાનીને યોગ્ય સ્ક્રિપ્ટ નહીં મળે ત્યાં સુધી તેઓ પ્રોજેક્ટમાં આગળ વધશે નહીં. ડાયરેક્ટર પાસે ત્રણ સારી સ્ક્રિપ્ટ તૈયાર છે, પરંતુ તેમાં કેટલીક અડચણો છે. આ દૂર ન થાય ત્યાં સુધી ફિલ્મ શરૂ થઈ શકશે નહીં. “મુન્નાભાઈ ૩”ની ગણતરી ના કરીએ તો પણ સંજય દત્ત હાલ ખૂબ બિઝી છે. સાઉથના સ્ટાર વિજય થલપતિ સાથે લિયોમાં તેમનો વિલનનો રોલ છે. આ ઉપરાંત અક્ષય કુમાર અને રવિના ટંડન સાથે વેલકમ ટુ ધ જંગલ અ હેરાફેરી ૪માં પણ સંજય દત્ત મહત્ત્વની ભૂમિકામાં છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *