Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગરુડેશ્વરના વાઘપુરા ગામની પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી

લગ્નના ચાર મહિનામાં સાસરિયાએ તું સારી નથી કહી છૂટાછેડા માટે કહેતા પરણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

સાજીદ સૈયદ, નર્મદા

લગ્નના ચાર મહિનામાં પતિએ પ્રોત પ્રકાશીને તું મને ગમતી નથી તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યા બાદ લગ્નના અઢી માસમાં જ પિયર આવી ગયેલી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ધામદરા ગામના પતિ સહિત સાસરિયાંઓ સામે રાજપીપળા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.

મળતી વિગતો અનુસાર રેખાબેન અશ્વિનભાઇ તડવી, રહે-નવા વાઘપુરા (જીતપુરા) તા.-ગરુડેશ્વર જિ.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ તેમની દિકરી દિવ્યાબેન W/0 સંજીવભાઇ તડવીના લગ્ન ગત તા-૧૫/૦૫/૨૦૨૩ના રોજ તેમના સમાજના રીતિ રીવાજ મુજબ ધામદરા ગામે રહેતા સંજીવભાઇ મનહરભાઇ તડવી સાથે થયા હતા. પરંતુ લગ્નના ચાર માસ બાદ જ પતિ અને સાસરીયા દ્વારા મેણા ટોણા મારી ત્રાસ આપતા તેઓ પોતાના પિયર દોઢ માસથી રહેતા હતા.

પતિ દ્વારા તુ સારી નથી અને ગમતી નથી તેવા ટોણા મારતા હોય અને છુટાછેડા કરવાનું કહી દિવ્યાબેનને તેના પતિ સંજીવભાઇ સાસરીમાં લઇ પણ જતા ન હતા. જે વાતનું મનમાં લાગી આવતાં આ બાબતે હતાશ થઈ ગઈ હતી અને ઘરમાં મૂકેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી પરણિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે આ મુદ્દે પરણીતાના પતિ તેમજ સાસરીયા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *