Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મોત

ખંભાળિયા,તા.૧૯
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયા છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતોના હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે.

ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. તો બીજી તરફ શક્તિનગર ગામના રામજી નકુમ નામના ખેડૂતનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *