અમદાવાદ,
ખુશી વહેંચવાથી જ મળે છે અને દિવાળી જેવા ખુશીઓના તહેવારમાં જરૂરિયાતમંદોને મદદ કરવી એ ખુબ સરાહનીય બાબત છે.

આ માટે ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીની ઉજવણી માટે ગરીબ લોકોમાં મીઠાઈનું વિતરણ ગોઠવવામાં આવ્યું હતું. આ શુભકાર્યને સફળ બનાવવા માટે દાન આપનાર મિત્રોનો પણ ખુબ આભાર. આ વિતરણમાં અશોકભાઈ, દીપેશભાઈ, નટુભાઈ, નિશાબેન, અમિતભાઇ, મિતુલભાઈ, મંથનભાઈ, જગદીશભાઈ, અજીતભાઈ, અને ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મન્સૂરીએ હાજરી આપી હતી અને જરૂરિયાતમંદોમાં મીઠાઈનું વિતરણ કર્યું હતું.