Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજકોટ : ગાલપચોળિયાના એક ચેપી રોગથી દવાખાનાઓ ઉભરાયા

૪૫ દિવસ જેટલા ટૂંકાગાળામાં સાત હજારથી વધુ કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું

તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે.

રાજકોટ,તા.૧૯
ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર-સાંજ ઠંડી અને બપોરના ગરમી. આ સ્થિતિની વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. ગુજરાતના એક શહેરને તો રોગચાળાએ પુરી રીતે પોતાની ઝપેટમાં લીધો છે. જેને કારણે દવાખાનાઓ હજારો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે.

અહીં વાત થઈ રહી છે રાજકોટ શહેરની. હાલ વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર..! ના ખાઈ શકો, ના બોલી શકો, ના બેસી શકો, ના સૂઈ શકો…એક સાથે સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓમાં ઉભરાયા હજારો દર્દીઓ…બાળકો અને વડીલોને સાચવજાે, તમારા શહેરમાં પણ આ બીમારી કરી શકે છે પગપેસારો…!

જાે તમને ગાલપચોળિયાં હોય, તો તમે આ લક્ષણોનો અનુભવ કરી શકો છો- તાવ, માથાનો દુખાવો, થાક અને નબળાઇ, ભૂખ ન લાગવી, સોજાે, લાળ ગ્રંથીઓ, સોજાની આસપાસ દુખાવો થવો વગેરે લક્ષણો જાેવા મળે છે. ગાલપચોળિયાં એક ચેપી રોગ છે, જે વાયરસને કારણે થાય છે. આ રોગ ચહેરાની પેરોટીડ લાળ ગ્રંથીઓમાં સોજાનું કારણ બને છે. આ સ્થિતિ અત્યંત પીડાદાયક હોઈ શકે છે. વાયરસના સંપર્કમાં આવ્યાના ૨ થી ૩ અઠવાડિયા પછી તેના લક્ષણો અનુભવાય છે. આ રોગ માથાનો દુખાવો, તાવ અથવા થાક જેવા હળવા લક્ષણોથી શરૂ થાય છે.
ધીમે ધીમે તેના લક્ષણો વધી શકે છે અને સોજાે આવી શકે છે. આ રોગ મોટે ભાગે ૨ થી ૧૨ વર્ષની વયના બાળકોને અસર કરે છે. પરંતુ જાે આ વાયરસ સામે રસી આપવામાં ન આવે તો તે પુખ્ત વયના લોકોને પણ અસર કરી શકે છે.

તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે. જેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે, પછી મર્યાદિત હોય છે. પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં આવા કેસ આવવાથી ચિંતા વધી જાય છે.

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળા વચ્ચે છેલ્લા ૪૫ દિવસ જેટલા ટૂંકાગાળામાં ગાલપચોળીયાના અંદાજે સાત હજારથી વધુ કેસો ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે અછબડાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. જેમાં બાળકો જ નહિ, મોટી ઉમરના લોકોને પણ અસર થઈ હોવાના કેસો નોંધાયા છે. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઋતુ પરિવર્તનના ગાળામાં વાયરલ ઈન્ફેકશનને કારણે આવા કેસો બનતા હોય છે. જેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે, પછી મર્યાદિત હોય છે. પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાલપચોળીયાના કેસો આવ્યા હોવાનું તેવું કદાચ છેલ્લા દસ વર્ષોમાં પ્રથમ વખત બન્યા હોવાનું રાજકોટના અગ્રણી ડોકટરો જણાવી રહ્યા છે.

ગાલપચોળીયા મોટેભાગે વાઈરલ ઈન્ફેક્શનને કારણે થતાં હોય છે. પણ આ વખતે બાળકો અને મોટેરાઓને પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, બાળકોમાં ગાલપચોળીયાના કેસો પ્રમાણમાં વધુ હોવાનું બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે. તબીબોના કહેવા મુજબ, ગાલપચોળીયા આમ તો સામાન્ય બિમારી લાગતી હોય છે. પણ ક્યારેક તે માનવ જીવનું જાેખમ ઊભું કરી દેતી હોય છે. સામાન્ય રીતે પાંચથી સાત દિવસમાં ગાલપચોળીયા અને અછબડા મટી જતા હોય છે પરંતુ કોઈક વખતે તેને કારણે મેનેન્જાઇટીસ (મગજ ઉપર સોજાે આવવો), સ્વાદુપીંડ ઉપર સોજાે આવી જવો, પુરૂષોને ટેસ્ટી તથા સ્ત્રીઓને ઓવરી જેવા અંગો ઉપર અસર થવી વિગેરે સમસ્યાઓ પણ ગાલપચોળીયાને કારણે અમુક વખત થઈ શકે છે. હાલમાં અછબળાના કેસો પણ જાેવા મળે છે પરંતુ તે પણ હાલ ધીમીગતિએ આગળ વધી અંદાજે ૧૦૦થી ૧૫૦ કેસ અછબળાના રહ્યાનું તબીબો જણાવી રહ્યા છે.

 

(જી.એન.એસ)