Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

હું નપુંશક છું, હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી, તું પપ્પા અને મારા ભાઈ સાથે શારીરિક સંબંધ રાખી શકે છે

રાજકોટ શહેરમાં ૨૫ વર્ષીય પરીણીતાએ સાસરીયાઓ સામે નોંધાવી ફરીયાદ

રાજકોટ,
રાજકોટ શહેર ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે સાસરીયે રહેતી ૨૫ વર્ષીય પરીણીતા કામિની (નામ બદલાવેલ છે ) દ્વારા પોતાના પતિ, સસરા, સાસુ વિરુદ્ધ આઇપીસી ૪૯૮ (A), ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. તેના પતિએ પોતે નપુસંક હોય તે વાત છુપાવી હતી. તો સાથે જ લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોમાં ઝઘડાઓ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી કામિનીએ જણાવ્યું છે કે, પોતે હાલ પોતાના માવતરના ઘરે રહે છે. કામિનીના લગ્ન ૩૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ જ્ઞાતિના રીતી રિવાજ મુજબ થયા હતા. સુહાગરાતે પતિએ કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ રાખ્યા નહોતા. તેમજ ત્યારબાદ પણ જુદા જુદા બહાના બતાવી માતાજી તથા ભગવાનની બાધા હોય તેમ કરી સમય પસાર કરતા હતા. તેમજ લગ્નના પાંચ સાત દિવસ બાદ પણ પતિએ કોઈ શારીરિક સંબંધ ન રાખતા કામિનીને તેના પતિ ઉપર શંકા ગઈ હતી. જેથી તેણે પોતાના પતિને પૂછતા તેણે કહ્યું હતું કે, મારે લગ્ન જ કરવાના નહોતા. હું નપુંશક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી. તેમજ જાે તું આ વાત કોઈને કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ તેમ જ સુસાઇડ નોટમાં તારું તેમજ તારા માતા-પિતાનું નામ લખતો જઈશ. તે પ્રકારની ધમકી આપી હતી.

પતિ શારીરિક સુખ આપી શકે તેમ ન હોવાથી તેને દવા લેવાનું કહેતા તેણે કહ્યું હતું કે, મેં અગાઉ દવા કરાવેલી છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમ છતાં જાે તારે શરીર સુખ જાેઈતું હોય તો મારો ભાઈ તથા મારા પિતા તને શારીરિક સુખ આપી દેશે. જે અંગે ઘણી વખત કામિનીને તેના સસરા અને દિયરે ચેષ્ટાઓથી ઈશારાઓ પણ કર્યા હોવાનું તેને ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે કામિનીએ પોતાના પતિની બીમારી સંબંધે ડોક્ટર પાસે સારવાર પણ કરાવી હતી.

 

(જી.એન.એસ)