Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : દરિયાપુર વોર્ડના AMC કાઉન્સિલરના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ

દરિયાપુર વોર્ડના જાગૃત મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનના બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. 

અમદાવાદ,તા.૧૯

શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલ શાહપુર અડ્ડા પાસે સગરવાળમાં સ્થાનિકોની ફરીયાદને લઇ જાગૃત અને હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરતા એવા દરિયાપુર વોર્ડના મ્યુ.કાઉન્સિલર શેખ સમીરા માર્ટીનની ભલામણ તથા બજેટમાંથી પથ્થર પેવીંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો અને હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી સમસ્યાનો નિરાકરણ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ દેખાયો હતો.