કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ તેમાથી શીખવા માટે તૈયાર છે. આવો જાણીએ છે કે આપણે આ વાયરસ પાસેથી શું શીખ્યુ.
૧. આરોગ્યના પ્રત્યે વધી જાગૃકતા– આ વાયરસે આપણને શીખવાડ્યુ કે શરીર ફિટ અને હેલ્ધી રાખવુ કેટલુ જરૂરી છે. ઈમ્યુનિટી પાવરને વધારીને રાખવો પણ કેટલો જરૂરી છે. તેથી હવે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃકતા વધી છે. તેના માટે યોગ, પ્રાણાયામ, આયુર્વેદ, મેડિટેશન અને પૌષ્ટિક ભોજનને શામેલ કર્યો.
૨. ક્વારંટાઈનનો મહત્વ – હવે લોકો આ સારી રીતે સમજી ગયા છે કે બીમારીથી બચવાના ઉપાય છે માસ્ક લગાવવુ, સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવુ અને જાે તમને લક્ષણ નજર આવે તો ક્વારંટાઈન થઈ જવુ કે હોમ આઈસોલેટ થઈ જવું. હવે લોકો હોમ આઈસોલેશનમાં રહેવુ પણ શીખી ગયા છે. હવે લોકો પહેલા કરતા વધારે હાઈજિનિક થવા લાગ્યા છે. જે પોઝીટીવ હશે તેનાથી લોકો દૂરી બનાવી રાખશે. જે આ ટેવને સ્વીકારશે તે પોતાને અને પોતાના પરિવાર સાથે સમાજને પણ બચાવીને રાખશે. જ્યારે લોકોને આ ખબર પડી કે આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફેલાય છે તો સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવુ ફરજિયાત થયું. તેના માટે બસ, ટ્રેન, ઑફિસ, શાળા, ઑડિટોરિયમ, સિનેમાહૉલ નાના-મોટા બધા શૉપિંગ મૉલ અને દુકાનો વગેરે. જાહેર જગ્યા પર જે લોકો દૂરી બનાવીને રાખશે તે પોતાને અને તેમના પરિવારને સુરક્ષિત રાખી શકશે.
૩. વાયરસની મોત – આ વર્ષે લોકોએ શીખવ્યુ કે વાયરસને મારવો કેટલો ખતરનાક હોય છે. સ્મશાનમાં સગાઓના સાથ નથી મળતો. ચાર લોકો કાંધ આપવા માટે પણ નહી મળે. અંતિમ સમયમાં સગાઓનો સાથ નહી મળે. તે લોકો માટે સૌથી મોટી શીખ છે જેણે આ વાયરસની ભયાવહતાને લોકોએ ગંભીરતાથી લીધી છે અને તેના પરિણામો સમજ્યા. જેને આ વાયરસની ગંભીરતાને હળવામાં લીધુ તે આ દુનિયામાં રહ્યુ નહી અને આ વાયરસના કારણે અત્યાર સુધી એ લોકો જીવન અને મોત સામે લડી રહ્યા છે.
૪. બચત– ઘણા લોકોની પાસે કોઈ સેવિંગ નહોતી. જેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે લૉકડાઉન લાગી જશે અને નોકરીથી પણ હાથ ધોવો પડશે. પણ એવા પણ ઘણા લોકો હતા જેની પાસે રોકડ પૈસા કે રૂપિયા નહોતા. ઘણા લોકોની પાસે રોકડની સાથે ભવિષ્ય માટેની સેવિંગ પણ નહોતી. તેમને આ સૌથી મોટી શીખ રહી કે સંકટકાળમાં આપણી પાસે બેંક, વોલેટની ઉપરાંત ખિસ્સામાં પણ રૂપિયા હોવા જાેઈએ અને આ ત્યારે જ શકય હશે જ્યારે આપણે બચત કરીશુ. હવે લોકો નકામા હરતા-ફરતા અને રેસ્ટોરેંટમાં ભોજન કરવાથી બચશે. સગાઈ, લગ્ન વગેરે માંગલિક કાર્યો અને બીજા પ્રોગ્રામ પણ ઓછા ખર્ચીલા થઈ શકે છે. મોટાભાગના લોકો તેમની બચત પર ધ્યાન આપશે. બચત વધવાનો મતલબ છે કે લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે. ખૂબ જરૂરી જરૂરિયાતની વસ્તુઓનો જ સંગ્રહ કરશે.
૫. લોકોને મળ્યુ ડાક્ટરી જ્ઞાન– વાયરસથી એવા લોકોને પણ ડાક્ટરી જ્ઞાન આપી દીધુ જે ગામડામાં રહે છે જેણે ક્યારે ઑક્સીમીટર વિશે સાંભળ્યુ નહોતુ. લોકોએ સોશિયલ મીડિયા, ટીવી ચેનલ અને છાપાથી આ વાયરસના ડરથી જે જાણકારી મળી તે જાણકારીના કારણે અભણ લોકો પણ જાણવા લાગ્યા કે પલ્સ કેટલી હોવી જાેઈએ. બીપી સામાન્ય કેટલુ હોય છે. ઑક્સીજન લેવલ કેટલુ હોવુ જાેઈએ. ક્યા રોગમાં કઈ દવા લેવી જાેઈએ. બીપી, ડાયબિટીઝને કેવી રીતે કંટ્રોલ કરાય છે. પ્રોનિંગ પોજીશન શું હોય છે અને નેબુલાઈજેશન કે સ્ટીમ વેપોરાઈજર શું હોય છે. હવે લોકો સમજવા લાગ્યા છે કે સાચુ કે ખોટું શુ છે. ખાસકરીને લોકો આ સમજી ગયા છે કે બેક્ટીરિયા અને વાયરસમાં અંતર હોય છે. આ બન્ને કયાં-ક્યાં રહે છે લોકો હવે આ પણ સમજી ગયા છે કે ઘરમાં ડાક્ટરી જરૂરની બધી દવાઓ અને સાધન હોવા જાેઈએ.
૬. કરિયાણાનો સ્ટૉક જરૂરી– શાહીનબાગ આંદોલનના સમયે જ કોરોના વાયરસના કારણે ૨૨ માર્ચે જનતા કફ્ર્યુ પછી ૨૩ માર્ચએ લૉકડાઉન લગાવી દીધું. અચાનકથી લૉક્ડાઉન થવાથી લોકોને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની તક પણ ન મળી. ઘરમાં કરિયાણા અને શાકનો સ્ટૉક નહોતો. તેથી આ શીખ મળી કે ઘરમાં ઓછામાં ઓછા એટલુ કરિયાણુ તો હોવુ જાેઈએ કે ૩ મહીના આરામથી નીકળી શકે.
૭. ઘર છે તો સંસાર છે– લૉકડાઉનના સમયે તે લોકો વધારે પરેશાન થયા જે ભાડાના મકાનમા રહેતા હતા અને તે દરમિયાન જ તેમની નોકરી પણ છૂટી ગઈ તેમણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. જાે ખુદનુ ઘર હોત તો માલિકના મહેણાથી બચી જતા અને જાે ઘર લોન પર હપ્તામા પણ હોય તો બેંક ત્રણ મહીનાનો મોનોટોરિયમ પ્લાન પણ આપી રહી હતી. હવે આવનાર સમયમાં જે લોકો આ માનતા હતા કે પોતાના ઘરની શું જરૂર છે ભાડાના ઘરમાં રહીને જીવન ગુજારી શકાય છે આવા લોકોના વિચાર બદલાશે. લોકો તેમની પ્રાથમિકતામાં ઘરને સૌથી ઉપર રાખશે. એવા ઘણા લોકો છે જેમણે ઘરની જગ્યા દુકાન ખરીદવાને વધારે મહત્વ આપ્યુ છે હવે તે ઘર ખરીદવા પર વિચાર કરશે. ઘર છે તો સંસાર છે. ખાસ વાત તો એ છે કે લોકો પણ સમજી ગયા છે કે ઘરમાં એટલા રૂમ તો હોવા જ જાેઈએ કે બધા સભ્ય આઈસોલેટ થઈ શકે અને કોઈને કોઈ પરેશાની ન થાય.
૮. પારિવારિક વિચાર અને સેવા– હવે લોકો પહેલા કરતા સગાઓને અને સંબંધીઓને વધારે મહત્વ આપવા લાગ્યા છે. એક સમય એવો હતો જયારે લૉકડાઉનના કારણે છુટાછેડાના કેસ વધી ગયા હતા પરંતુ હવે લોકો એકબીજાના સાથ આપવા લાગ્યા છે અને પરિવારના મહત્વને સમજવા લાગ્યા છે. વાયરસે ઘણા લોકોના સંબંધોને ફરીથી જાેડી દીધા અને લોકોને સંબંધોનુ મહત્વ પણ જણાયુ. હવે લોકો સમજવા લાગ્યા છે કે પૈસા, પદ અને પ્રસિદ્ધિ કોઈ કામમાં નહી આવે. કામ તો સગા જ આવે છે. લોકો આ પણ સમજવા લાગ્યા છે કે લોકોની સેવા કરશો તો લોકો પણ સંકટકાળમાં તેમની સાથે ઉભા રહેશે.
૯. ચિંતા, ડર અને અશાંતિથી દૂરી– કોઈ પણ પ્રકારની ચિંતા કરવી, મનને અશાંત રાખવુ અને વ્યર્થ ડરના કારણે મૃત્યુ આસપાસ ફરવા લાગે છે. લોકો હવે સમજવા લાગ્યા છે કે બિનજરૂરી ચિંતા કરવાથી આપણા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. મોત તો બધાને આવે છે પછી ચિંતા કઈ વાતની. કોઈ પહેલા મરશે અને કોઈ પછી. ચિંતામુક્ત જીવન સૌથી મોટી સંપત્તિ છે. ડરથી આપણી ઈમ્યુન સિસ્ટમ નબળુ થાય છે.
૧૦. માસ્ટર પ્લાન– જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સારી રણનીતિ તમારા જીવનને સફળ બનાવી શકે છે અને જાે કોઈ યોજના કે રણનીતિ નથી તો સમજાે જીવન એક અરાજક ભવિષ્યમાં જતુ રહેશે.
Wow, amazing blog structure! How long have you been running a
blog for? you make blogging glance easy. The full look
of your web site is great, as smartly as the content!
You can see similar here sklep online