Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે.

અમદાવાદ,તા. ૧૦
અમદાવાદના કોંગ્રેસ નેતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને મકાન બાંધવા બાબતે તેમના પાડોશી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે હવે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને ધમકીઓ આપવાને પગલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. ઇરફાન નાગોરી નામના શખ્શે ધમકી આપ્યાને લઈ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે.

 

(જી.એન.એસ)