Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩

શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા દરગાહ શરીફ પર ગલેફ અને ફૂલની ચાદર પેશ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોહમ્મદ નોમાન, શેખ અનિસ, રીયાઝ અરબ, આસીફ શેખ, સોહેલ શેખ, રીઝવાન આંબલીયા, સિકંદર સિદી સહિતના અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા. ફાતેહા ખ્વાની બાદ દેશ અને દુનિયામાં શાંતિ સ્થપાય તથા ભારત અને ગુજરાતમાં ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.