Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત

ગુજરાતમાં ફરી વાર કોરોનાની એન્ટ્રી

વડોદરા,તા.૦૮
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે.

પંચમહાલના ૬૦ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોનાથી મોત થયુ હોવાનું સામે આવી રહ્યું છે. છાતીમાં દુખાવા સહીત શ્વાસ લેવાની તકલીફ થવાના કારણે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં એસ. એસ. જી હોસ્પિટલમાં કોરોનાના ૫ અને સ્વાઈનફલૂનો એક દર્દીનો કેસ નોંધાયો છે.

બીજી તરફ આ અગાઉ પણ વડોદરામાં ૫ જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

 

(જી.એન.એસ)