Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ઇકબાલભાઇ બેહલીમએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી

ઇકબાલભાઇ બેહલીમ લોકો સુધી કોમી એકતા, ભાઈચારો અને બિનસાંપ્રદાયીકતાના સમર્થનમાં છેલ્લા કેટલાય વર્ષોથી લાખોની સંખ્યામાં રાખડીઓ અને પતંગ બનાવીને જનહિતના સંદેશા પહોંચાડે છે.

અમદાવાદ,તા.૧૮ 

ભાઇ અને બહેનના સ્નેહનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન પણ ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલે અને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે.

ઇકબાલભાઇ બેહલીમએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ બનાવી

શહેરના ત્રણ દરવાજા વિસ્તારના ઇકબાલભાઇ બેહલીમ કોમી એકતાનું પ્રતિક છે. તેઓ હંમેશા માનવતાવાદી મુલ્યોના પ્રબળ સમર્થક રહ્યા છે. ઇકબાલભાઇ બેહલીમએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી હતી. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આકર્ષિત રાખડીઓ બનાવિ હતી.

આ વખતે ઇકબાલભાઇ બેહલીમ કહે છે કે, “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે  રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કેન્સર ન થાય તેવા  સંદેશાઓ આપતી રાખડીઓ બનાવી છે. ગુટખા, સિગારેટ અને દારૂના વ્યસનને પરિણામે અનેક લોકો કેન્સર અને લીવરના રોગોથી પીડાય છે. તે જોતા અમે બઝારમાં વ્યસન મુક્તિના સંદેશા વાળી રાખડીઓ  ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

આગળ બેહલીમ સાહેબ જણાવે છે કે, “અમે છેલ્લા ૪૦ વર્ષથી વ્યસન મુક્તિનું કાર્ય કરીએ છીએ. આ સાથે આજે આપણે ૭૮ વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યા છીએ જેને જોતા અમે “ત્રિરંગા”ની રાખડીઓ પણ બનાવી છે.