Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો

harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ પીએમ મોદીએ આગ્રહ કર્યો

નવી દિલ્હી,તા. ૯
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું પ્રોફાઇલ પિક્ચર તિરંગામાં બદલી નાખ્યું છે. હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા માટે તેમણે દરેકને આવું કરવાનો આગ્રહ કર્યો છે, સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને harghartiranga.com પર તિરંગા સાથે સેલ્ફી શેર કરવાનો પણ આગ્રહ કર્યો છે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી # HarGharTirangaને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને આગ્રહ કરું છું કે, તમે પણ આવું કરીને આપણાં તિરંગાની ઉજવણીમાં મારી સાથે જાેડાઓ અને હા, તમારી સેલ્ફી harghartiranga.com પર જરૂરથી શેર કરો”

 

(જી.એન.એસ)