Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” યોજાયો

(રીઝવાન આંબલીયા)

અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે સુર શિવમ સ્ટુડિયો ખાતે ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ એડિટર મનિષ જોષી દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” તા. ૧૪ જુલાઈ રવિવારના રોજ બપોરે ૧થી ૫ના સમય દરમિયાન યોજાયો હતો.

વિવેક શાહ પ્રોડક્શનના હાસ્યથી ભરપુર પારિવારિક સુપરહિટ નાટક ‘વિદેશી વહુ તને શું કહું’ના નિર્માતા દિગ્દર્શક લેખક અને આર્ટિસ્ટને બેસ્ટ પર્ફોમન્સ માટે એવોર્ડથી સન્માનિત કરવાનો સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરના લોકપ્રિય જાગૃત ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા ઉપસ્થિત રહ્યાં હતાં અને તેઓના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભના પ્રમુખ સ્થાને શ્રી ચેતનભાઈ ઠક્કર ( એમ.ડી ઓમિરેકલ હેલ્થકેર પ્રા.લી) હાજર રહ્યા હતા.

આ પ્રોગ્રામમાં મુખ્ય મીડિયા પાર્ટનર તરીકે  ન્યુઝ ૨૪*૭ ચેનલ (જીટીપીએલ) જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત માનનિય મહાનુભાવો આમંત્રિત મહેમાનો વિશિષ્ટ અગ્રણીઓ એવોર્ડથી સન્માનિત થનાર સહુનો અને સહાયકો તથા મીડિયા કર્મીઓ ઉપરાંત ગાયક કલાકારોનું ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલના એડિટર મનિષ જોષીએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું. અંતમાં સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.