Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૮ :- ન્યાયપ્રીય સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા.

અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશના સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે, ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી. અહેમદશાહ બાદશાહનાં નામ પરથી અહમદાબાદ નામ પડ્યું છે. અહમદશાહ બાદશાહ  (રેહ્મતુલ્લાહ અલૈહ) નો જન્મ મોહમ્મદશાહ પ્રથમ ઉર્ફ તાતારખાનને ત્યાં થયો હતો. તાતારખાન મુહમ્મદશાહનો મઝાર નહરવાલ પાટણમાં છે.

સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. આપ હઝરત શેખ રૂકનોદ્દીન કાનેશકર નહરવાલા  (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મુરીદ બન્યા. આપે હઝરત ગંજ એહમદ ખટ્ટુ  (રેહ્મતુલ્લાહ અલૈહ)  પાસેથી પણ જ્ઞાન મેળવ્યો.

સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) ખુબ જ ન્યાયપ્રીય બાદશાહ હતા જેના બે દાખલા અહીં નોંધવામાં આવ્યા છે.

એકવાર સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) પોતાના મહેલની બારીમાં બેસીને સાબરમતી નદીને પ્રવાહમાં જોઈ રહ્યા હતા ત્યારે સુલ્તાન અહમદશાહ બાદશાહે એક મોટી માટીની બરણી તરતી જોઈ. બરણી ખોલવામાં આવી અને એક હત્યા કરાયેલી વ્યક્તિનો મૃતદેહ ધાબળામાં વીંટાળેલો મળી આવ્યો. કુંભારોને બોલાવી બરણીની ઓળખ કરાવવામાં આવી. બરણી બનાવનારે તેને પડોશી ગામના મુખીને વેચવામાં આવી હોવાનું જણાવ્યું. તપાસ દરમિયાન મુખીએ અનાજના વેપારીની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું અને તેને ફાંસી આપવામાં આવી.

અન્ય એક કિસ્સામાં સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)ના જમાઈએ એક ગરીબ વ્યક્તિની હત્યા કરી હતી. કાજીએ રાજકુમારને દોષિત ઠેરવ્યા અને દંડ ચૂકવીને રાજકુમારને છોડી મૂકવામાં આવ્યા. પોતાના જમાઈની મુક્તિની સુનાવણી કરતા અહમદશાહ બાદશાહે જણાવ્યું કે, અમીરોના ગુનાના કિસ્સામાં નાણાકીય દંડ એ કોઈ સજા નથી અને પોતે તેમના જમાઈને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. બદ્રના કિલ્લા પર આ બંન્ને હત્યા કરનારાઓને સુલ્તાન અહમદશાહ બાદશાહના ઇન્સાફ મુજબ ફાંસી આપવામાં આવી હતી. આ હતો સુલ્તાન અહમદશાહ બાદશાહ  (રેહ્મતુલ્લાહ અલૈહ)નો ઇન્સાફ એટલે જ તેમને ન્યાયપ્રીય બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે.

હઝરત અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) હંમેશા બા-વુઝુ રેહતા હતા. આપે ક્યારેય અસરની સુન્નત નમાઝ પણ કઝા કરી નથી. અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) ૧૪૪૨માં તેમના જીવનના ૫૩મા વર્ષમાં અને શાસનકાળના ૩૩મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેમની કબર બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે. યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમને સન્માનિત કરવામાં આવે છે.