Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

માહિતી નિયામકની કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા તા. ૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા

ગાંધીનગર, તા. ૨૧
આજરોજ સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ. બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા આજે તા.૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા.

 

(જી.એન.એસ)